Friday, 6 November 2015

કયો રત્ન, કયા ગ્રહ માટે, કયા વારે, કંઈ આંગળીમાં પહેરવો? ( કિરીટ ઠક્કર )

રત્નોનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ....


-જે લોકોને શુક્રની મહાદશા ચાલી રહી હોય તેમને હીરો ધારણ કરવો જોઈએ તેની માટે શુક્રવાર સૌથી સારો દિવસ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે હીરો મધ્ય આંગળી અર્થાત્ મીડલ ફિંગરમાં પહેરવો જોઈએ.


-જેમની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલી રહી હોય તેમને માણેક ધારણ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યોદય સમયે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટીમાં લોકેટ પહેરવો જોઈએ.


-મોતી એ લોકોને ધારણ કરવો જોઈએ જેમની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં ચંદ્રને શુભ બનાવવા માટે મોતી પહેરવો જોઈએ. એ ચંદ્રનો રત્ન છે. દરેક સોમવારે કનિષ્ઠા આંગળીમાં એટલે કે લિટલ ફિંગરમાં સાંજે 5થી 7 વાગ્યની વચ્ચે ચાંદીની વીંટી કે લોકેટમાં તે પહેરવો જોઈએ.


- જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તેમને પન્ના ધારણ કરવો જોઈએ. પન્ના ધારણ કરવા માટે બુધ શ્રેષ્ઠ દિવસ છે. દિવસે 12 થી 2 વાગ્યાની વચ્ચે સૌથી નાની આંગળીમાં પન્ના ધારણ કરવો જોઈએ. બુધના શુભ પ્રભાવ માટે પન્ના સોનાની વીંટીમાં બુધવારના દિવસે પહેરવો જોઈએ.


- પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.


- મંગળની મહાદશામાં મૂંગા ધારણ કરવો તે શ્રેષ્ઠ ઉપાય છે આ મંગળનો રત્ન છે. મંગળદેવના અશુભ પ્રભાવથી બચવા માટે તેને સાંજે 5થી 7 વાગ્યાને વચ્ચે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટી કે લોકેટ સાથે પહેરવો જોઈએ.


-જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા ચાલી રહી હોય તો તેમને નીલમ ધારણ કરવો જોઈએ. તે શનિનો રત્ન છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મધ્યમાં આંગળીમાં એટલે કે મિડલ ફિંગરમાં ચાંદીની વીંટી કે લોકેટ સાથે તેને પહેરવો જોઈએ. શનિવારના દિવસે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે પહેરીએ તો તેનાથી વિશેષ ફળ મળે છે.


- જે લોકોને રાહુ કે કેતુની મહાદશા ચાલી રહી હોય તેમને ગોમેદ ધારણ કરવો જોઈએ. તેની માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે સૂર્યાસ્ત પછી મીડલ ફિંગર કે મધ્યમા આંગળીમાં ગોમેદ ધારણ કરો.


ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. 
Related Articles:


સાંજે આ મંત્ર બોલી ચંદ્રદર્શન કરો, મેળવો માનસિક શક્તિ અને શાંતિ
બેંક બેલેન્સ વધારો, લક્ષ્મીને આ મંત્રથી ભોગ લગાવેલ ખીર ખાઓ
શરદ પૂનમની રાતે આ મંત્ર બોલો,તમારા પર લક્ષ્મીની કૃપા વરસશે
સૂર્ય- શનિ એકસાથે: કંઇ રાશિવાળાએ શનિ રત્ન પહેરવો?
તમારી માટે કેવો રહેશે મંગળનો મૂંગા રત્ન, શુભ કે અશુભ?
રત્નો-માણેક હોય છે ચમત્કારી, તમને બધુ જ અપાવી શકે !
ગણેશ ચતુર્થી ઉપર ધારણ કરો આ રુદ્રાક્ષ, થશે બધુ જ મંગળ
કયો રૂદ્રાક્ષ કયા મંત્ર સાથે ધારણ કરશો?
દરેક મુરાદો બર આવશે, આ સોમવારે રુદ્રાક્ષ ધારણ કરો
જાણો, કેવાં હતાં પાંચ સૌથી અમુલ્ય રત્ન !!
દરેક મનોકામના પૂરી કરવા માટે આ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરો

રત્નો સાથે જોડાયેલ ખાસ વાતો, તમારી માટે કયો રત્ન છે શુભ? ( કિરીટ ઠક્કર )

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રોમાં નવગ્રહોની ચાલનું આંકલન કરીને ભવિષ્યમાં બનનારી ઘટનાઓના લેખા-જોખા આપે છે. જો કોઈ ગ્રહ નજીકના ભવિષ્યમાં પીડિત અને અશુભ સ્થિતમાં રહીને આપણે પીડા આપવાનો પ્રયાસ કરતો હોય તો તેનાથી આપણે બચવા માટે કંઈક ઉપાય કરવા માગતા હોઈએ છીએ. રાશિ રત્ન આ ઉપાયોમાં કારગર હોય છે, જો તે શુદ્ધ અને અસલી હોય તો ગ્રહ સાથે જોડાયેલ સમસ્યાનું નિદાન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આ અસરદાર તો હોય જ છે, પરંતુ તેને ખરીદતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવા તે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ નગીના અને રત્નોને સકારાત્મક ઊર્જાને આપનાર તથ્યોની પુષ્ટિ કરે છે. રત્નો આમ તો પ્રાકૃતિક સ્ત્રોતથી પ્રાપ્ત થનાર માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના રોચક પૌરાણિક પ્રસંગ જોડાયેલ છે....   પ્રાચીન સમયમાં બલાસુર નામનો એક શકિતશાળી રાક્ષસ હતો. દેવતાઓને પણ તેણે પરાજીત કર્યા હતા. જેથી તે રાક્ષસના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે રાક્ષસને નિવેદન કર્યું. યજ્ઞ જેવા શુભ કાર્ય માટે બલાસુર પોતાના દેહ દાન માટે તૈયાર થઇ ગયો. આ રીતે યજ્ઞ બલી દ્વારા બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્ય, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાથી બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઇ ગયું. આ સાથે જ, તેના શરીરના બધા જ અંગ રત્નોનાં બીજમાં રૂપાંતર થઇ ગયાં.
  આ રીતે બલાસુરના ઉપકારને કારણે જ્યારે દેવતાઓ તેના શરીરને આકાશમાર્ગથી લઇ જવા લાગ્યા તો વાયુ અને વેગથી તેનું શરીર ટુકડા-ટુકડા થઇને દરિયા, નદી, પર્વત અને જંગલમાં પડીને રત્નોની ખાણમાં બદલાઇ ગયા. સાથે જ તે સ્થાન રત્નો નામથી જ પ્રસિદ્ધિ થયું.
  જાણો આ રત્નોનો શુભ પ્રભાવ શું હોય છે-


Share This Pic:-મેષ અને વૃશ્ચિક રાશિવાળાને મૂંગા પહેરવો જોઈએ. પરંતુ મૂંગા પહેરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે જ્યાં સુધી જન્મના સમયે મંગળની સ્થિતિ સારી ન હોય તો મૂંગો ન પહેરવો જોઈએ. જો મંગળ શુભ હોય તો તે સાહસ, પરાક્રમ, ઉત્સાહ પ્રશાસનિક ક્ષેત્ર, પોલીસ, સેના વગેરેમાં લાભકારી હોય છે.   -વૃષભ અને તુલા રાશિવાળાને હીરો કે એપલ પહેરવો જોઈએ. જો જન્મ કુંડલીમાં શુભ હોય તો. આ રત્નોને પહેરવાથી પ્રેમમાં સફળતા, કલાના ક્ષેત્રમાં ઉન્નતિ, સૌંદર્ય પ્રસાધનોના કાર્યોમાં સફળતાનો કારક હોવાથી તમે ચોક્કસ સફળ થઈ શકો છે. 
-મિથુન અને તુલા રાશિવાળાએ પન્ના પહેરવાથી સેલ્સમેનના કાર્યમાં, પત્રકારિતામાં, પ્રકાશનમાં, વેપારમાં સફળતા મળે છે.   -સિંહ રાશિવાળાને માણિક ઊર્જાવાન બનાવો છે. રાજકીય, પ્રશાસનિક ક્ષેત્ર, ઉચ્ચ નોકરીના ક્ષેત્રમાં સફળતાનો કારક હોય છે.   આગળ વાંચો કર્ક, મકર, ધન અને મીન રાશિના જાતકો માટે કયો રત્ન શુભ હોય....


Share This Pic:-કર્ક રાશિવાળાને મોતી મનને શાંતિ આપે છે. સાથે જ સ્ટેશનરી, દૂધ, દહીં-છાસ, ચાંદીના વ્યવસાયમાં લાભકારી હોય છે. 
-મકર અને કુંભ નીલમ રત્ન ધારણ કરી શકે છે. પરંતુ બે રાશિઓ હોવાથી સાવધાનીથી પહેરવું જોઈએ. અથવા કોઈ નિષ્ણાત જ્યોતિષને કુંડળી બતાવીને જ ધારણ કરવો.    -ધન અને મીન રાશિવાળાએ પુખરાજ કે સુનહલા લાભદાયક હોય છે. તે પણ પ્રશાસનિક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. તે ન્યાય સાથે જોડાયેલ વ્યક્તિ પણ પહેરી શકે છે. તો ન્યાય સાથે જોડાયેલા વ્યક્તિ પણ તેને ધારણ કરી શકે છે. તમને સલાહ છે કે કોઈ વ્યક્તિ રત્ન કોઈપણ યોગ્ય જ્યોતિષની સલાહ વગર ક્યારેય ન પહેરવો જોઈએ.   આગળની સ્લાઈડ્સમાં વાંચો આ રત્નોનો શુભ પ્રભાવ કેવો હોય છે.....


Share This Pic:આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.   ગ્રહઃ- સૂર્ય   રત્નઃ-માણિક્ય   તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.   ગ્રહઃ- ચંદ્ર   રત્નઃ- મોતી   મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.   આગળની સ્લાઈડ્સમાં વાંચો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ....


Share This Pic:ગ્રહઃ-મંગળ   રત્નઃ- મૂંગા   મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.   ગ્રહઃ- બુધ   રત્નઃ- પન્ના   પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.


Share This Pic:ગ્રહઃ-ગુરુ   રત્નઃ પુખરાજ   પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.   ગ્રહઃ- શુક્રવાર   રત્નઃ- હીરો   હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.


Share This Pic:ગ્રહઃ- શનિ   રત્નઃ- નિલમ   આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.   ગ્રહઃ- રાહુ   રત્નઃ- ગોમોદ   ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.   ગ્રહઃ- કેતુ   રત્નઃ- લસણિયો   કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

અંક પ્રમાણે કયો રત્ન છે…તમારી માટે લકી? ( કિરીટ ઠક્કર )

ઘણીવાર એવું બને છે તમે પોતાના બિઝનેસ કે કામધંધાને લગતા કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કર્યા હોય પરંતુ તે કામ પૂરા ન થઈ રહ્યા હોય. બિઝનેસમાં સતત નુકસાન સહન કરવું પડી રહ્યું હોય. જો નોકરી-ધંધો કરતા લોકોને પોતાના કામમાં અનેક પરેશાનીઓ આવી રહી હોય અને તેના લીધે તોઓ દુઃખી હોય, આ બધી પરેશાનીઓમાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોવ તો તમે તમારા નંબર પ્રમાણે જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલ રત્ન પહેરી લો. આ રત્નના પ્રભાવથી તમારી બધી જ સમસ્યો દૂર થઈ જશે અને તમારા બગડેલા કામો પણ સુધરવા લાગશે—
અંક-1
અંક 1 નો સ્વામી સૂર્ય હોય છે એટલે તમારે પોતાના અંક પ્રમાણે સૂર્યનો રત્ન માણિક્ય ધારણ કરવો જોઈએ.
અંક-2
તમારા અંક પ્રમાણે તમારે ચંદ્રમાનો રત્ન મોતી ધારણ કરવો જોઈએ.
અંક-3
આ અંકવાળાને પુખરાજ ધારણ કરવાથી ધનલાભ થશે સાથે અન્ય પરેશાનીઓ પણ દૂર થશે.
અંક-4
અંક 4 હર્ષલનો હોય છે. જો આ અંકવાળા માણિક્ય પહેરે તો તેમના દરેક કામોમાં આવતી અડચણો દૂર થઈ જાય છે.
અંક-5
વેપારમાં લાભ પ્રાપ્ત કરવા માટે 5 અંકવાળાને બુધનો રત્ન પન્ના પહેરવો જોઈએ.
અંક-6 
બિઝનેસ અને વેપાર-ધંધામાં આર્થિક લાભ મેળવવા માટે અંક-6 વાળાઓને હીરો પહેરવો જોઈએ.
અંક-7
આ અંકવાળા વ્યક્તિ આ અંકના સ્વામી નેપ્ચ્યુનનો રત્ન મોતી પહેરે તો તેમના બધા જ રોકાયેલા કામો ફરીથી ધમધમાટ ચાલવા લાગે છે.
અંક-8 
શનિનો રત્ન નીલમ 8 અંકવાળાઓને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.

અંક-9-
આ અંકનો સ્વામી મંગળ છે અને તો 9 અંકવાળા વ્યક્તિઓ મૂંગા પહેરે તો તેમના બધા જ વિચારેલા કામ પૂરા થાય છે.

જીવનસાથી સાથે મતભેદ છે? તો આટલું કરો ( કિરીટ ઠક્કર )

દાંપત્યજીવન સુખી અને તદુરસ્ત રહે તેના માટે ચાર બાબતોની ગંભીરતા હોવી જરૂરી છે. આ બાબતો છે- શારીરિક, જાતીય, માનસિક અને આત્મીય સજ્જતા. ઉપરોક્ત બાબતોની સાથે કેટલીક બાબતો પર પતિ-પત્નીની સહમતી હોતી નથી. જેના ફળ સ્વરૂપ ઘણી વાર મતભેદો થતા હોય છે. મતભેદો જ્યાં સુધી સામાન્ય રહે ત્યાં સુધી બરાબર છે, પરંતુ તે ઝઘડા જ્યારે બંનેના રસ્તા જુદા કરે ત્યારે પતિ અને પત્નીએ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાંપત્યજીવનના ઝઘડા કે મતભેદ પતિ-પત્ની સાથે બેસીને એકબીજાની સમજણથી ઊકેલી શકે છે, પણ જ્યારે લગ્ન વિચ્છેદના આરે આવીને ઊભું હોય અને તેને બચાવવાનો કોઈ ઉપાય ન હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત ઉપાયો કે પ્રયોગો કરીને લગ્નજીવનને તૂટતું બચાવી શકાય છે. જ્યોતિષની દૃષ્ટિએ દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થવાનાં કારણો જાણીને તે મુજબ ઉપાય કરવા જોઈએ.
રાશિનાં લગ્નો અને ઉપાયો
બાર રાશિનાં લગ્નો પ્રમાણે દાંપત્યજીવનનો વિચ્છેદ કરતા યોગ જોવા મળે. સાતમું સ્થાન એ દાંપત્યજીવનનું સ્થાન છે. રાશિના આધારે રચાતા યોગ અને તેમાં કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે.
મેષ લગ્નઃ આ જાતકો માટે દાંપત્યજીવનનો કારક ગ્રહ શુક્ર છે. મેષ લગ્નમાં ૨, ૬, ૮મા સ્થાને હોય તો જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળું રહે છે. સાતમા સ્થાનમાં મંગળ, રાહુ કે કેતુ હોય તો જીવનમાં ક્લેશ થાય છે.
ઉપાય
· મેષ લગ્નમાં જ્યારે વૈવાહિક જીવનમાં મુશ્કેલી સર્જાય ત્યારે મંગળનું રત્ન પરવાળું ધારણ કરવું જોઈએ.
· ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું.
વૃષભ લગ્નઃ આ જાતકો માટે પતિ-પત્નીનો કારક ગ્રહ મંગળ છે. વૃષભ લગ્નમાં મંગળ જો પ કે ૯મા સ્થાનમાં હોય ત્યારે દાંપત્યજીવનને અસ્થિર બનાવે છે. જ્યારે પાપગ્રહની યુતિ કે દૃષ્ટિ કંકાસ અને કષ્ટ પેદા કરે છે.
ઉપાય
· વૃષભ લગ્નમાં જ્યારે જાતકોને અવારનવાર કંકાસ થાય અને વારંવાર લગ્ન ભંગાણના આરે આવે ત્યારે શુક્રનું રત્ન હીરો ધારણ કરવું જોઈએ.
· શનિ યંત્રની સ્થાપના કરી તેનું દરરોજ પૂજન કરવું.
મિથુન લગ્નઃ આ જાતકો માટે સાતમા સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ૮મા સ્થાનમાં પતિ-પત્નીનો વિયોગ કરાવે છે. ચંદ્ર ક્ષીણ હોય અને મંગળ સાથે કે બારમા સ્થાને હોય તો દાંપત્યજીવનમાં તિરાડ પાડે છે.
ઉપાય
· મિથુન રાશિનાં લગ્નવાળા જાતકોએ બુધનું રત્ન પન્ના ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે.
· જ્યારે લગ્નસુખમાં મુશ્કેલી જેવું લાગે ત્યારે શનિ ચાલીસાના અગિયાર વાર પાઠ કરવા.
કર્ક લગ્નઃ આ લગ્નવાળાનો કારક ગ્રહ શનિ છે. કર્ક લગ્નમાં શનિ હોય તો દાંપત્યસુખમાં ઊણપ વર્તાય છે. સ્ત્રી માટે કર્ક લગ્નની કુંડળી દુઃખી લગ્નજીવન આપે છે.
ઉપાય
· ચંદ્રનું રત્ન મોતી ધારણ કરવું.
· દર ગુરુવારે હળદરનું દાન કરવું.
· ગરીબોને ચણા અને લાડુનું દાન કરવું.
સિંહ લગ્નઃ આ લગ્નવાળાને સપ્તમેશ શનિ થાય. લગ્નેશ સૂર્યને સપ્તમેશ શનિ શત્રુ હોવાથી ભૌતિક સુખ-સમૃદ્ધિ હોવા છતા દાંપત્યજીવન દુઃખી રહે છે. શનિ ૬, ૮, ૯, ૨ સ્થાનમાં હોય તો દાંપત્યજીવનમાં સુખ આવવા દેતો નથી.
ઉપાય
· સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું.
· મંગળ યંત્રનું પૂજન કરવું. ખેરના લાકડાનું મંગળ યંત્ર બનાવીને પૂજન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.
કન્યા લગ્નઃ આ જાતકોને સપ્તમેશ ગુરુ બને. સાતમા સ્થાને શનિ મંગળના પાપ કર્તરિયોગ અને શનિ મંગળની દૃષ્ટિ હોય તો લગ્નજીવન કલુષિત થાય છે. કન્યા લગ્નવાળાને ૫મા સ્થાને ગુરુ હોય તો લગ્નજીવનમાં અસ્થિરતા પેદા કરે છે.
ઉપાય
· કન્યા લગ્નવાળા જાતકોએ ખાસ સોનામાં બુધનું રત્ન પન્ના ધારણ કરવું.
· શુક્રવારના દિવસે સફેદ ફળ અને અનાજ પાંજરાપોળ કે આશ્રમની ગાયને ખવડાવવું. સફેદ ગાયનું શુક્રવારે પૂજન કરવું.
તુલા લગ્નઃ આ જાતકોને મંગળ સપ્તમેશ બને છે. મંગળની સ્થિતિ તુલા લગ્નમાં ૩, ૯, ૮મા સ્થાનમાં હોય તો લગ્નજીવનમાં નીરસતા રહે છે. સાતમા સ્થાને સ્વગૃહી મંગળ અને ગુરુ સ્થિતિને શુભ બનાવે, પરંતુ ક્રૂર ગ્રહની દૃષ્ટિ તેનાથી વિપરીત ફળ આપે છે.
ઉપાય
· તુલા લગ્નમાં જો જાતકોને મુશ્કેલી પડે તો શુક્રનું રત્ન હીરો ધારણ કરવું.
· * ॐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।। મંત્રના ૨,૧૦૦ જાપ કરવાથી લાભ થાય અને લગ્નજીવન સુખમય બને છે.
વૃશ્ચિક લગ્નઃ આ જાતકોનો કારક ગ્રહ શુક્ર લગ્નમાં ૩, ૪, ૫, ૭મા સ્થાનમાં હોય તો જીવનસાથી સાથે અવારનવાર સ્વાસ્થ્યને લઈ ઝઘડો થાય છે.
ઉપાય
· વૃશ્ચિક લગ્નના જાતકોએ મંગળનું રત્ન પરવાળું પંચધાતુની વીંટીમાં જડાવીને ધારણ કરવું.
· સોમવારના દિવસે કૂતરાને દૂધ પીવડાવવું.
ધન લગ્નઃ આ જાતકોનો કારક ગ્રહ બુધ બને. સપ્તમેશ બુધ જો શુક્ર સાથે દ્વિસ્વભાવ રાશિમાં હોય તો દાંપત્યજીવનમાં ગરબડ પેદા કરે છે. પતિ-પત્નીને અલગ અલગ રહેવાના યોગ કરે છે.
ઉપાય
· ધન લગ્નના જાતકોમાં જે લોકો લગ્નસુખથી વંચિત હોય તેમણે પોખરાજ રત્ન ધારણ કરવું ઉત્તમ રહેશે.
· સૂર્યની ઉપાસના કરો અને દરરોજ આદિત્યહૃદયસ્તોત્રનો પાઠ કરવો.
મકર લગ્નઃ આ લગ્નવાળા જાતકોનો કારક ગ્રહ ચંદ્ર છે. સાતમા સ્થાનમાં મંગળની દૃષ્ટિ ગંભીર વાદવિવાદ ઉપસ્થિત કરે છે. લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જાય છે.
ઉપાય
· પુરુષોએ શનિનું નંગ ધારણ કરવું. સ્ત્રીઓએ શનિ ચાલીસાના પાઠ કરવા.
· દરેક બુધવારે અગિયાર જાસૂદનાં પુષ્પની માળા બનાવી ગણેશજીને ચઢાવવી.
કુંભ લગ્નઃ આ લગ્નના જાતકોનો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્ય ૨, ૪, ૮, ૯મા સ્થાનમાં સામાન્ય મુશ્કેલી ઉપસ્થિત કરે છે. લગ્નેશ શનિ લગ્નમાં વિલંબ કરાવે અને ક્રૂર ગ્રહની દૃષ્ટિ સંબંધમાં ખટરાગ પેદા કરે.
ઉપાય
· કુંભ લગ્નના જાતકોએ ઉપરોક્ત મુશ્કેલીને નિવારવા માટે શનિનું રત્ન નીલમ ધારણ કરવું જોઈએ.
· દરેક માસની સુદ છઠ્ઠના દિવસે આસોપાલવનાં એકવીસ પાનની માળા બનાવી મુખ્ય દ્વારે લગાવવાથી લાભ થાય છે.
મીન લગ્નઃ આ લગ્નવાળા જાતકોનો કારક ગ્રહ બુધ છે. સપ્તમેશ બુધ પાપગ્રહની યુતિમાં કે દૃષ્ટિમાં હોય તો દાંપત્યજીવનમાં નિષ્ફળતા અને વિખવાદ થાય છે. શુક્ર કે ચંદ્ર પર પાપગ્રહની દૃષ્ટિ લગ્નવિચ્છેદ પણ કરાવે છે.
ઉપાય
· ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે.
· સફેદ આકડાના ગણેશની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી દરરોજ તેમનું પૂજન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
લગ્ન મેળાપક
જ્યારે સંબંધ કે લગ્ન નક્કી થાય તે પહેલાં વર-કન્યાના ગુણાંક મેળવી લેવા જરૂરી બને છે. કેટલીક વખત ગુણાંક ૩૬માંથી ૩૨ કે ૩૪ મળતા હોય છે છતાં લગ્ન ભંગ થતાં હોય છે અથવા લગ્નજીવન ભંગાણના આરે આવીને ઊભું હોય છે. તેના નિરાકરણ માટે ફક્ત ગુણાંક પર આધાર ન રાખવો જોઈએ. આ માટે કુંડળીના ગ્રહો પણ જવાબદાર હોય છે. ઉચ્ચનો ગુરુ કેન્દ્રમાં ગુરુ + મંગળનો ઔદાર્ય યોગ. ગુરુ + ચંદ્ર યુતિ તથા મેળાપકમાં શનિ ઉચ્ચનો પણ હોવો જોઈએ.
મેળાપકમાં વર્ણ, વશ્ય, તારા, યોનિ, નાડી, મંગળદોષ, ગુણૈક્ય, સંતાન, આયુષ્ય મૈત્રી વગેરેનો મેળાપક કરવાનો હોય છે. જો મેળાપક એકના પણ ન મળે તો વિધાન દ્વારા દોષ દૂર કરી શકાય છે. આ અંગેના કેટલાંક ઉપાયો નીચે પ્રમાણે છે.
ઉપાય
જો મેળાપક મળતા હોય છતાં લગ્ન ભંગ થવાને આરે હોય અથવા છૂટાછેડાની તૈયારી હોય તો તેને બચાવવા માટે જોઈ લેવું કે વર અથવા કન્યાની કુંડળીમાં ચાંડાલયોગ, વિષયોગ, છત્રભંગયોગ, કાલસર્પ યોગ કે ગ્રહણ યોગ તો નથી બનતાને! જો તે બનતા હોય તો તેની વિધિ કરાવી લેવી જોઈએ અથવા તો દરરોજ મહાદેવજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવને દરરોજ અભિષેક તથા પૂજન કરવાં જોઈએ.
લગ્નનું મુહૂર્ત
સ્ત્રી અને પુરુષનાં લગ્ન મેળાપક મળતા હોય અને છતાં પણ લગ્નજીવનમાં મુશ્કેલી સર્જાય, એકબીજાને મનમેળ ન આવે તો તેની પાછળ લગ્નનું મુહૂર્ત ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે છે. મુહૂર્તશાસ્ત્ર પ્રમાણે દિવસની શુદ્ધિ હોવી જરૂરી બને છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ વ્યવસ્થિત હોવા જોઈએ. સાથે લગ્નના મુહૂર્તમાં કન્યાનું ગુરુ અને ચંદ્રબળ તથા વરનું સૂર્ય અને ચંદ્રબળ ગોચર મુજબ હોવું જોઈએ. લગ્નના દિવસે વિખ્ટિ દોષ પણ જોઈ લેવો જોઈએ.
જો શુભ મુહૂર્તમાં લગ્ન થયું ન હોય તો લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થતી રહેતી હોય છે. તેઓ એકબીજાને સમજી શકતાં નથી. અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેને દૂર કરવા ઉપાય નીચે મુજબ છે.
ઉપાય
· લગ્ન પછી લગ્નના મુહૂર્તમાં ખામી હતી તેવું જાણવા મળે તો સ્ત્રીઓએ ગુરુવારના દિવસે ચણાના લોટના લાડુ બનાવી શિવજીને ભોગ અર્પણ કરવો જોઈએ.
· પુરુષોએ રવિવારના દિવસે અગિયાર તાંબાના સિક્કા કુળદેવીના મંદિરે મૂકવા જોઈએ.
· દરેક માસમાં બે પ્રદોષ આવે તેમાં સુદ પ્રદોષના દિવસે પતિ અને પત્નીએ સાથે બેસી વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ.
ઉપરોક્ત ઉપાયો કરવાથી દોષ દૂર થશે અને નિશ્ચિત શુભ ફળ મળશે.
દાંપત્યજીવનમાં મધુરતા લાવવાના સરળ ઉપાયો
કેટલાંક નાના-નાના પ્રયોગો કરવાથી લગ્નજીવનમાં જો ખટરાગ થતો હોય તો તેમાં મધુરતા આવે છે.
· ॐ નમો નારાયણાય સર્વ લોકાનાં મમ વશાન કુરુ કુરુ સ્વાહા ।।
ઉપરોક્ત મંત્રનો જાપ પુષ્ય નક્ષત્રથી પ્રારંભ કરવો. દરરોજ ૧૦૮ મંત્રજાપ કરવાથી સ્ત્રી-પુરુષની જોડી લક્ષ્મી અને નારાયણ જેવી થાય છે. જે તે વાદ-વિવાદનો શીઘ્ર અંત આવે છે.
· ॐ ક્ષાં ક્ષં ક્ષઃ સૌં હં હં સં: ઠઃ ઠઃ ઠઃ ઠઃ સ્વાહા ।।
પતિ-પત્ની જ્યારે પોતાનું દાંપત્યજીવન મુશ્કેલીમાં અનુભવે, વાત કોર્ટ સુધી પહોંચી જાય ત્યારે ઉપરોક્ત મંત્રના દરરોજ એકવીસ જાપ કરવા. બહુ નજીકના સમયમાં કેસનો સકારાત્મક અંત આવશે.
· જે સ્ત્રીને પતિનું સુખ અલ્પ પ્રાપ્ત થતું હોય તેવી સ્ત્રીઓએ રવિવારના દિવસે સંધ્યા સમયે ગૂગળનો ધૂપ કુળદેવીને કરવાથી નિશ્ચિત સુખ પ્રાપ્ત થશે.
· જે પતિને પોતાની પત્નીથી કોઈ પણ બાબતે સંતોષ ન હોય અથવા તો સમજશક્તિના કારણે જો વૈવાહિક જીવનમાં વિચ્છેદ થતો હોય તેવી સ્થિતિમાં ગુરુવારે લીંબુ લેવું. લીંબુના બે ભાગ કરી પોતાના માથેથી ઉતારી ચાર રસ્તે મૂકી આવવાથી નિશ્ચિત જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે.
· દાંપત્યજીવનમાં વિશ્વાસ કેળવવા, એકબીજા પર વિશ્વાસ સંપાદન કરવા માટે મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તેનાથી જરૂર લાભ થશે.
દાંપત્યજીવન બચાવવા માંગતી સ્ત્રીઓ માટેેે
જે સ્ત્રીએ દાંપત્યજીવનને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય છતાં સફળતા ન મળતી હોય તેણે નીચેનો રામબાણ પ્રયોગ અજમાવવો જોઈએ.
આ ૨૪ શુક્રવારનો ઉપાય છે. શુક્રવારના દિવસે માતા પાર્વતીને દર શુક્રવારે નીચેનો શણગાર કે વસ્તુઓ અર્પણ કરવી.
શુક્રવાર શણગાર
૧ ફૂલ
૨ અગરબત્તીનું પેકેટ
૩ ચાંલ્લા
૪ લાલ બંગડી
૫ તેલની શીશી
૬ કાંસકો
૭ બક્કલ
૮ પાઉડરનો ડબ્બો
૯ કાજળની ડબી
૧૦ કંકુ
૧૧ સિંદૂર
૧૨ નાકની ચૂની
૧૩ કાનની બુટ્ટી
૧૪ લિપસ્ટિક
૧૫ સાડીનો સેટ
૧૬ ચૂંદડી
૧૭ મંગળસૂત્ર
૧૮ સફેદ મોતીની માળા
૧૯ વીંટી
૨૦ નેઇલ પોલિશ
૨૧ અત્તરની શીશી
૨૨ પગનાં ઝાંઝર
૨૩ પાદુકા અને છત્ર
૨૪ પોતાના ઘેર પાંચ કુવારિકા જમાડવી અને ઉપરમાંથી કોઈ એક વસ્તુ આપવી.
વાસ્તુદોષ અને લગ્ન વિચ્છેદ
આજના જમાનામાં મનુષ્ય આધ્યાત્મને છોડીને ભૌતિક સુખો પાછળ દોડી રહ્યો છે. સમયના અભાવે મનુષ્ય પોતાના ઘરમાં સંસારનાં તમામ સુખો ભોગવા ઇચ્છે છે, પણ જો ઘરમાં જ શાંતિ ન હોય તો માણસ ક્યાં જાય? વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરુદ્ધ ઘર હોય તો વાસ્તુદોષ દાંપત્યજીવનમાં ભંગાણનું કારણ બની શકે છે, તેથી જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા જોઈએ. નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી.
· ઘરમાં ઇશાન ખૂણાનું બહુ મહત્ત્વ છે. ઇશાન ખૂણામાં પતિ-પત્ની સાથે બેસી પૂજા કરે તો એકબીજા વચ્ચેનો અહંકાર સમાપ્ત થઈ જાય છે.
· ઘરની લક્ષ્મી દ્વારા સંધ્યાકાળે તુલસીક્યારે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને સંપ વધે છે.
· ખાસ નાની-નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોય ત્યારે ઘરનો ઇશાન ખૂણો સાફ રાખવો. સાથે ઘરના દરેક રૂમનો ઇશાન ખૂણો સ્વચ્છ રાખવો જેથી શુભ ફળ મળે.
· બેડરૂમમાં પતિ-પત્ની સાથે સમય પસાર કરતાં હોય છે. બેડરૂમમાં સૂવાની દિશા દક્ષિણ અથવા નૈઋત્ય રાખવી ઉત્તમ છે.
· શયનકક્ષમાં નશીલા પદાર્થોનું સેવન ન કરવું અને નશીલા પદાર્થો શયનકક્ષમાં ન રાખવા. આમ હશે તો પતિ-પત્ની વચ્ચે ક્લેશ ઉત્પન્ન થાય છે.
· શયનકક્ષમાં પતિ અને પત્નીનો હસતો ફોટો મૂકવાથી એકબીજાનો પ્રેમ વધે છે.
-----------------------------------------------------------------------
પ્રેમ ભંગના કારણો અને ઉપાયો
જન્મ કુંડળીમાં પાંચમું સ્થાન પ્રણવ સ્થાન માનવામાં આવે છે. પાંચમા સ્થાનના સ્વામિનું વિશેષ ફળ એ પ્રેમ સંબંધોમાં મળતું હોય છે. પાંચમા સ્થાનનો સ્વામી ૬.૮.૧૨ જો શુભફળ ન આપે પરંતુ રાશિ પ્રમાણે જો પ્રેમમમાં સફળતા ન પ્રાપ્તિ થતી હોય તો સફળતા માટેના કેટલાંક પ્રયોગો છે. જે કરવાથી શુભ ફળ નિશ્ચિત મળે છે.
- મેષ :- મેષ રાશિના જાતકો જો પ્રેમમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય ત્યારે રવિવારના દિવસે રાજા રક્ષા સ્ત્રોતના ૭ પાઠ કરો નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે.
- વૃષભ :- વૃષભ રાશિના મિત્રો જો પ્રેમમાં વિશ્વાસ સંપાદન ન થતુ હોય અને પ્રેમ પ્રાપ્ત ન થતો હોય ત્યારે બુધવારના દિવસે સાત જુદા જુદા લીલા પાન લઈ અને શિવ મંદિરે ચઢાવવાથી લાભ.
- મિથુનઃ- મિથુન રાશિના જાતકો જે એવું તરફી પ્રેમ કરે છે અને પ્રેમ પ્રાપ્ત કરવો છે તેવા જાતકોએ શુક્ર યંત્ર પ્રસ્થાપિત કરી દર શુક્રવારના દિવસે લોબાનનો છૂપ કરવાથી સફળતા.
- કર્કઃ- જે કર્ક રાશિના મિત્રો જેનો પ્રેમ સાવ છૂદી ચૂકયો છે દગો થયો છે તેવા મિત્રોએ મંગળવારના દિવસે ભાતનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું જોઈએ.
- સિંહઃ- સિંહ રાશિના મિત્રો સાચો પ્રેમ મેળવવા માટે ગુરુવારના દિવસે સાંઈ ચરિત્રનો પાઠ કરવો.
- કન્યા :- કન્યા રાશિના જાતકો જો આપનો પ્રેમ સારો હોય અને તે મેળવવા માટે અંાબાના લાકડા લઈ જે યજ્ઞા કરતા બ્રાહ્મણ હોય તેને શનિવારના દિવસે ધન આપવા.
- તુલા :- તુલા રાશિના મિત્રો જે પ્રેમમાં નિષ્ફળ છે અને સફળ થવા માટે શનિવારના દિવસે કાળા અડદ, સરસવનું તેલ અડદના વડા શનિ મંદિરે ધન કરવું.
- વૃશ્ચિક :- વૃશ્ચિક રાશિના મિત્રો જે પ્રેમ વિયોગનો સામનો કરે છે તેવા જાતકોએ ગુરુ યંત્રનું પૂજન કરવું કેસર અને ચંદનનું મિશ્રણ કરી પૂજનથી નિશ્ચિત લાભ.
- ધન :- ધન રાશિના મિત્રો જેને પ્રેમમાં વારંવાર હાર થાય છે તેવા જાતકોએ દર મંગળવારે રિદિધ-સિદ્ધ સહિત ગણેશજીની ઉપાસના કરવી જોઈએ.
- મકર :- મકર રાશિના જાતકો જેને પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોય ફરીથી ડરતા હોય તેવા મિત્રોએ સફેદ વસ્ત્રોનું દાન કરવું ૧૦૮ દિવસ સુધી સફેદ ગાયની સેવા કરવી.
- કુંભ :- કુંભ રાશિના સ્ત્રી-પુરુષો જેને વારંવાર પ્રેમમાં અટકાયત થતી હોય મન મેળ ન આવતો હોય ત્યારે કપૂરી પાન બુધવારે લેવુ તેના પર ત્રણ સોપારી મૂકી નારાયણ સ્વરૂપે તેનું પૂજન કરવું શ્રેષ્ઠ.
- મીન :- મીન રાશિના જાતકો જે પ્રેમમાં ઝંખતા હોય તેવા જાતકોએ શ્રીમદ ભાગવતજીના ભ્રમર ગીતનો સોમવારના દિવસે પાઠ કરવો તેમજ મોતી ધારણ કરવો લાભ-દાયી.

આખી જિંદગી ધનનું સુખ મેળવવા રાશિ જોઈ કરો જ્યોતિષિય ઉપાય ( કિરીટ ઠક્કર )

આખી જિંદગી ધનનું સુખ મેળવવા રાશિ જોઈ કરો જ્યોતિષિય ઉપાય

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૂરિયાત હોય છે. જો આ ઈચ્છા પૂરી કરવી હોય તો તમારે રાશિ પ્રમાણે ઉપાય કરવા જોઈએ. આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. તેથી રાશિને અનુરૂપ રાશિ પ્રમાણે કેટલાક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે તેને અપનાવીને દરેકની ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

સામાન્ય રીતે બધા લોકોની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહે પરંતુ તે બધા જ લોકો માટે શક્ય હોતું નથી. દરેક વ્યક્તિ જન્મ રાશિ અલગ-અલગ હોય છે અને તેમના હાથમાં કિસ્મતને ચમકાવતી રેખા હોતી નથી જેના કારણે તો ધાર્યું કામ કરી શકતા નથી કે ધાર્યું ફળ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેમની જિંદગી હાલક-ડોલક ચાલતી રહે છે. પરંતુ જો તમે આખું વર્ષ સુખી રહેવા માગતા હોવ તો તમારી રાશિ પ્રમાણે જ્યોતિષિય ઉપાય કરો તો જીવનને પાછું હર્યુભર્યું બનાવી શકો છો.

મેષ રાશિઃ શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ.શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
મંત્રઃ ह्रीं अष्टलक्ष्म्यै दारिद्रय विनाशिनी सर्व सुख समृद्धि देहि देही ह्रीं नमः।
ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणतपतये वर वरदये नमः।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘श्री’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

વૃષભ રાશિઃ બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
મંત્ર - श्री ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः।
ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૂ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

મિથુન રાશિઃ ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.
દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.
મંત્ર : श्रीं श्री ह्रीं ह्रीं ऐश्वर्य महालक्ष्म्यै पूर्ण सिद्धिं देही देही नमः।
ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

કર્ક રાશિઃ સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ श्रीं ह्रीं क्लीं त्रिभुवन पालिन्य महालक्ष्म्यै अस्माकं। दारिद्रय नाशाय नाशय प्रचुरं धन देदि क्लीं ह्रीं श्रीं।
ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

સિંહ રાશિઃ બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.
દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિઃ કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.
ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

તુલા રાશિઃ મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.
દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

વૃશ્ચિક રાશિઃ ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ नमो नारायण’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘देही सौभाग्य आरोग्य देही मे परमं सुखम । रूपं देही ऐ दोही यशो देही द्विषो जाह ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.
મંત્ર : वक्रतुन्डाय हुं ।
લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.
‘ ह्रीं क्लीं महालक्ष्म्यै नः।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.
શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે.

કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૃ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
મંત્ર : एैं हीं श्रीं सं सिद्धि दो साधय साधय स्वाहा।
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

મીન રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૃપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ एकदंन्ताय विद्मेह, वक्रतुन्डाय धीमहि तन्नो हन्ती प्रचोदयात’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

ગુરુવાર, 16 ઑક્ટોબર, 2014

ક્યાંથી આવ્યા આ રત્નો, ગ્રહદોષો દૂર કરવા કયો રત્ન પહેરવો?

ક્યાંથી આવ્યા આ રત્નો, ગ્રહદોષો દૂર કરવા કયો રત્ન પહેરવો?


આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-
 
પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.
 
આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.
આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.
 
ગ્રહઃ- સૂર્ય
 
રત્નઃ-માણિક્ય
 
તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.
 
ગ્રહઃ- ચંદ્ર
 
રત્નઃ- મોતી
 
મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.
ગ્રહઃ-મંગળ
 
રત્નઃ- મૂંગા
 
મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.
 
ગ્રહઃ- બુધ
 
રત્નઃ- પન્ના
 
પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.
ગ્રહઃ- શનિ
 
રત્નઃ- નિલમ
 
આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.
 
ગ્રહઃ- રાહુ
 
રત્નઃ- ગોમોદ
 
ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.
 
ગ્રહઃ- કેતુ
 
રત્નઃ- લસણિયો
 
કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.
ગ્રહઃ-ગુરુ
 
રત્નઃ પુખરાજ
 
પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.
 
ગ્રહઃ- શુક્રવાર
 
રત્નઃ- હીરો
 
હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

કયા દિવસે કયો પૂજા ઉપાય કરવાથી ઝડપથી પૂરા થાય છે ધાર્યા કામ

કયા દિવસે કયો પૂજા ઉપાય કરવાથી ઝડપથી પૂરા થાય છે ધાર્યા કામ

શાસ્ત્ર મુજબ જે મનુષ્ય પોતાના કર્મોને લઇને સમર્પણ અને નિષ્ઠા રાખે છે, તેની માટે માત્ર દિવસ જ નહી પરંતુ, સમયના દરેક ક્ષણ શુભ હોય છે. આ કર્મોને મંગળકારી બનાવવામાં કોઇ વ્યક્તિની ધર્મ અને ઇશ્વર સાથે જોડાયેલી આસ્થા અને વિશ્વાસ પણ મુખ્ય સ્થાને હોય છે. આ રીતે ઇશ્વરીય કૃપાથી કર્મની શક્તિ ભાગ્યને પણ શ્રેષ્ઠ બનાવનારી સાબિત થાય છે.

શાસ્ત્રોમાં દેવ કૃપાથી જ ખાસ કાર્ય કરવા અને તેમના શુભ ફળ મેળવવા માટે સપ્તાહના ખાસ વારે કરવામાં આવતી દેવ પૂજા અને મંત્ર-ઉપાયની સાથે તે દિવસે કરવામાં આવેલા કામનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
રવિવાર- સવારના ઉઠીને સૂર્ય દેવની પૂજા કરી આ મંત્રનો જાપ કરવો-
સૂર્ય પૌરાણિક મંત્ર-

ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजोराशे जगत्पते।
अनुकंपय मां भक्त्या, गृहाणार्घ्य दिवाकर:।।

ક્યુ કાર્ય કરવું?

સ્વાસ્થ્ય સંબંધી ઉપચાર અને ગૃહ પ્રવેશ કાર્ય કરવું.
સોમવાર-

 શિવ અને અગ્નિદેવની પૂજા કરવાથી સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ માટે અગ્નિ સાથે જોડાયેલ કાર્ય, યજ્ઞ, હવન વગેરે કરવું શુભ રહે છે. સાથે જ આ શિવ પંચાક્ષરી અથવા ષડાક્ષરી મંત્ર સુખ-સમૃદ્ધિ મેળવવાનો સીધો માર્ગ છે.
પંચાક્ષરી મંત્ર-  नमः शिवाय
ષડાક્ષરી મંત્ર- ॐ नमः शिवाय
ક્યું કામ કરવું જોઇએ-
ગૃહ નિર્માણનો પ્રારંભ, કલર કામ વગરે.

મંગળવાર-

 મંગળદેવ, શ્રીહનુમાન પૂજા કરવાની સાથે આ મંત્રનો જરૂર જાપ કરવો.
મંગળ પૌરાણિક મંત્ર-
धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्। कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।

શ્રી હનુમાન મંત્ર-
"ॐ हं हनुमतये नमः" અથવા તો શ્રી હનુમાન ચાલીસાનો એક વાર પાઠ કરી જ લેવો.
ક્યુ કામ કરવું જોઇએ-
પરાક્રમ, શૌર્ય અને શસ્ત્ર અભ્યાસ સાથે જોડાયેલા વિરતાના કાર્ય કરવા જોઇએ.

બુધવાર- શ્રીગણેશ પૂજા કરી વિઘ્ન અને પરેશાનિઓ દૂર કરવા માટે આ મંત્ર ઉપાય કરવો અથવા શ્રી ગણપતિઅથર્વશીર્ષનો પાઠ કરવો-
 "ॐ गं गणपतये नमः"
ક્યુ કામ કરવું જોઇએ-
કોઇની સાથે સલાહ- મંત્રણા, યાત્રા અને વ્યવસાયને લગતુ કોઇ કાર્ય કરવું જોઇએ.

ગુરૂવાર- ગુરૂ, બૃહસ્પતિદેવ, દત્તાત્રેય પૂજા કરવી અને આ મંત્રોનું સ્મરણ કરવું અહીં જણાવવામાં આવેલા કાર્ય સંપન્ન કરવા-
 દત્તાત્રેય મંત્ર-
 ॐ द्रां दत्तात्रेयाय स्वाहा
ગુરૂ મંત્ર-
अखण्ड मण्डलाकारं व्याप्तं येन चराचरम्. तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
ક્યુ કામ કરવું જોઇએ-
ધાર્મિક અને દેવ કાર્ય, વેદપાઠ, નવા વસ્ત્રો અને આભૂષણ પહેરવા અથવ ખરીદવા જોઇએ.

શુક્રવાર- દેવી અને શુક્ર ગ્રહની પૂજા કરીને આ ઉપાય સાથે આ "ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै"  મંત્ર જાપ કરવો. અને શુક્ર પૌરાણિક મંત્રનું સ્મરણ કરવું.
 ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम।
ક્યુ કામ કરવું જોઇએ
દાન, કન્યાદાન, સ્ત્રી સાથે જોડાયેલા કાર્ય , વાહન સંબંધી કાર્ય કરવા જોઇએ

શનિવાર- શનિવારે શનિ, શિવ પૂજાના ઉપાયોની સાથે આ મંત્રનો જાપ કરવો જોઇએ
 "ॐ शं शनैश्चराय नमः" અથવા  "ॐ नमः शिवाय"
આ નાના મંત્રોનો જાપ કરવો પણ અસરકારક સાબિત થાય છે.
ક્યુ કામ કરવું જોઇએ
આ દિવસે આ બન્ને દેવતાઓની ઉપાસના કરીને ગૃહસ્થી સાથે જોડાયેલ કાર્ય, ગૃહપ્રવેશ, ગૃહારભ્ભ, વ્યવસાય સાથે જોડાયેલ કાર્ય કરવા જોઇએ.