બુધ
બધા ગ્રહોમાં બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. સૂર્યની નજીક હોવાથી સૂર્યના પ્રકાશને લીધે આકાશમાં હંમેશા જોઈ શકાતો નથી. જ્યારે સૂર્યથી દૂર અંતરે રહેલો હોય ત્યારે જ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. બુધ પૃથ્વીથી ૩ કરોડ ૫૯ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ લગભગ ૩૨૦૦ માઈલ છે.
બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે.
સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે.
બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો રજોગુણી ગ્રહ છે. ક્રીડા સ્થાનમાં નિવાસ કરે છે. સમપ્રકૃતિ અને પૃથ્વીતત્વ ધરાવે છે. તેનો રંગ લીલો અને સ્વાદ મિશ્ર છે. ધાન્ય મગ, ધાતુ પિત્તળ, કાંસુ, છીપ, રત્ન પન્ના અને વાર બુધવાર છે. અધિદેવતા શ્રી વિષ્ણુ છે. શરીરમાં ચામડી પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને લગ્નસ્થાનમાં બળવાન બને છે.
ગ્રહોમાં બુધ યુવરાજ છે. બુધ યુવાન દેખાવ આપે છે. બુધપ્રધાન જાતકો પોતાની ઉંમરનાં પ્રમાણમાં નાના દેખાય છે. બુધ્ધિ, વાણી અને મામાનો કારક ગ્રહ છે. આ સિવાય સંદેશાવ્યવહાર, વાણિજ્ય, વિદ્યાભ્યાસ, લખાણો, પુસ્તકો, પ્રકાશન, મુદ્રણ, મુસાફરી, જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રનો કારક છે. બુધ સંદેશાવાહક છે. સંદેશા વ્યવહારના સાધનો જેવા કે ટપાલ સેવાઓ, કુરિયર, ટેલિફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે પર આધિપત્ય ધરાવે છે. આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનુ વહન થાય છે. આમ બુધ માનવશરીરમાં જ્ઞાનતંતુઓ પર આધિપત્ય ધરાવે છે. બુધ એ તીવ્ર બુધ્ધિ આપનાર ગ્રહ છે. બુધપ્રધાન જાતકો ઝડપથી કોઈ પણ વિષયને સમજીને ગ્રહણ કરી લે છે. બુધ ગ્રહણશીલ અને અનુકરણ કરનારો ગ્રહ છે. ઉત્તમ પ્રકારની વિનોદ વૃતિ ધરાવે છે. સારી યાદશક્તિ ધરાવે છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં કુશળતા ધરાવે છે. બુધ એ સૌથી અનુકૂલનશીલ ગ્રહ છે. બુધપ્રધાન જાતકો કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોમાં ઝડપથી અનુકૂલન સાધી લે છે. શરીરમાં ચેતાતંત્ર, હાથ અને પગ પર પ્રભુત્વ ધરાવે છે.
કુંડળીમાં દૂષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર બનાવે છે. તેમની વાણી મર્મયુક્ત અને ઘણીવાર દ્વિઅર્થી હોય છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવનારા હોય છે. ઉત્તમ પ્રકારની રમૂજ વૃતિ ધરાવે છે. લેખન, સાહિત્ય અને વાંચનના શોખીન હોય છે. મુત્સદી અને સૂક્ષ્મ બુધ્ધિ ધરાવે છે. તાર્કિક, વિચારશીલ અને વિશ્લેષણ કરનાર હોય છે. વાચાળ, ચંચળ અને ભીરુ સ્વભાવ ધરાવે છે.
કુંડળીમાં પીડિત થયેલો અને અશુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ચાલાક અને લુચ્ચો બનાવે છે. અલ્પબુધ્ધિ અને શંકાશીલ સ્વભાવ આપે છે. નિંદા અને ખુશામતો કરવાની ટેવ ધરાવે છે. તે જુગારી અને નાની મોટી ચોરીઓ કરનાર થઈ શકે છે. બડાશ અને દેખાડો કરવાની આદત ધરાવનાર હોય છે. મિથ્યાભિમાની, બોલવામાં વિવેકનો અભાવ અને સ્મૃતિ લોપ કરાવે છે. દૂષિત બુધ ચામડીના અને વાણીના દર્દો જેવા કે તોતડાપણું વગેરે પેદા કરે છે.
બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તેની ઉચ્ચ રાશિ કન્યા અને નીચ રાશિ મીન છે. આ એક જ ગ્રહ છે જે સ્વરાશિમાં જ ઉચ્ચનો થાય છે. કન્યા રાશિમાં ૧૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મીન રાશિમાં ૧૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. કન્યા રાશિનાં શરૂઆતના ૦ થી ૧૫ અંશ તેની ઉચ્ચરાશિ છે. ૧૬ થી ૨૦ અંશ મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૦ અંશો તેની સ્વરાશિ છે. સૂર્ય અને શુક્ર એ બુધના મિત્ર ગ્રહો છે. ચન્દ્ર શત્રુ ગ્રહ છે. મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો છે.
બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે.
સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે.
બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો રજોગુણી ગ્રહ છે. ક્રીડા સ્થાનમાં નિવાસ કરે છે. સમપ્રકૃતિ અને પૃથ્વીતત્વ ધરાવે છે. તેનો રંગ લીલો અને સ્વાદ મિશ્ર છે. ધાન્ય મગ, ધાતુ પિત્તળ, કાંસુ, છીપ, રત્ન પન્ના અને વાર બુધવાર છે. અધિદેવતા શ્રી વિષ્ણુ છે. શરીરમાં ચામડી પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને લગ્નસ્થાનમાં બળવાન બને છે.
ગ્રહોમાં બુધ યુવરાજ છે. બુધ યુવાન દેખાવ આપે છે. બુધપ્રધાન જાતકો પોતાની ઉંમરનાં પ્રમાણમાં નાના દેખાય છે. બુધ્ધિ, વાણી અને મામાનો કારક ગ્રહ છે. આ સિવાય સંદેશાવ્યવહાર, વાણિજ્ય, વિદ્યાભ્યાસ, લખાણો, પુસ્તકો, પ્રકાશન, મુદ્રણ, મુસાફરી, જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રનો કારક છે. બુધ સંદેશાવાહક છે. સંદેશા વ્યવહારના સાધનો જેવા કે ટપાલ સેવાઓ, કુરિયર, ટેલિફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે પર આધિપત્ય ધરાવે છે. આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનુ વહન થાય છે. આમ બુધ માનવશરીરમાં જ્ઞાનતંતુઓ પર આધિપત્ય ધરાવે છે. બુધ એ તીવ્ર બુધ્ધિ આપનાર ગ્રહ છે. બુધપ્રધાન જાતકો ઝડપથી કોઈ પણ વિષયને સમજીને ગ્રહણ કરી લે છે. બુધ ગ્રહણશીલ અને અનુકરણ કરનારો ગ્રહ છે. ઉત્તમ પ્રકારની વિનોદ વૃતિ ધરાવે છે. સારી યાદશક્તિ ધરાવે છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં કુશળતા ધરાવે છે. બુધ એ સૌથી અનુકૂલનશીલ ગ્રહ છે. બુધપ્રધાન જાતકો કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોમાં ઝડપથી અનુકૂલન સાધી લે છે. શરીરમાં ચેતાતંત્ર, હાથ અને પગ પર પ્રભુત્વ ધરાવે છે.
કુંડળીમાં દૂષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર બનાવે છે. તેમની વાણી મર્મયુક્ત અને ઘણીવાર દ્વિઅર્થી હોય છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવનારા હોય છે. ઉત્તમ પ્રકારની રમૂજ વૃતિ ધરાવે છે. લેખન, સાહિત્ય અને વાંચનના શોખીન હોય છે. મુત્સદી અને સૂક્ષ્મ બુધ્ધિ ધરાવે છે. તાર્કિક, વિચારશીલ અને વિશ્લેષણ કરનાર હોય છે. વાચાળ, ચંચળ અને ભીરુ સ્વભાવ ધરાવે છે.
કુંડળીમાં પીડિત થયેલો અને અશુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ચાલાક અને લુચ્ચો બનાવે છે. અલ્પબુધ્ધિ અને શંકાશીલ સ્વભાવ આપે છે. નિંદા અને ખુશામતો કરવાની ટેવ ધરાવે છે. તે જુગારી અને નાની મોટી ચોરીઓ કરનાર થઈ શકે છે. બડાશ અને દેખાડો કરવાની આદત ધરાવનાર હોય છે. મિથ્યાભિમાની, બોલવામાં વિવેકનો અભાવ અને સ્મૃતિ લોપ કરાવે છે. દૂષિત બુધ ચામડીના અને વાણીના દર્દો જેવા કે તોતડાપણું વગેરે પેદા કરે છે.
બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તેની ઉચ્ચ રાશિ કન્યા અને નીચ રાશિ મીન છે. આ એક જ ગ્રહ છે જે સ્વરાશિમાં જ ઉચ્ચનો થાય છે. કન્યા રાશિમાં ૧૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મીન રાશિમાં ૧૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. કન્યા રાશિનાં શરૂઆતના ૦ થી ૧૫ અંશ તેની ઉચ્ચરાશિ છે. ૧૬ થી ૨૦ અંશ મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૦ અંશો તેની સ્વરાશિ છે. સૂર્ય અને શુક્ર એ બુધના મિત્ર ગ્રહો છે. ચન્દ્ર શત્રુ ગ્રહ છે. મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો છે.
JANUARY 21, 2010
મંગળ
મંગળ એ બહિર્વતિ ગ્રહ છે. બીજા બહિર્વતિ ગ્રહો ગુરુ અને શનિ કરતાં પૃથ્વીથી નજીક છે. મંગળ પૃથ્વીથી આશરે ૧૪ કરોડ ૧૫ લાખ માઈલ દૂર છે. પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે. તેનો વ્યાસ લગભગ ૪૨૦૦ માઈલ છે.
મંગળ એટલે કે શુભ. મંગળ એ અંગારક અને ભૌમ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં અંગારક એટલે બળતો કોલસો અને ભૌમ એટલે ભૂમિનો પુત્ર. મંગળ એ પૃથ્વીનો પુત્ર ગણાય છે. પુરાણોમાં મંગળના જન્મ અંગેની જુદી-જુદી કથાઓ વર્ણવેલી છે. એક કથા અનુસાર મંગળને કાર્તિકેય તરીકે ઓળખવામાં આવ્યાં છે. જે શિવના પુત્ર છે. મંગળનુ ગોત્ર ભારદ્વાજ છે અને તેઓ અવન્તિ દેશના સ્વામી છે. તેમણે લાલ રંગના વસ્ત્ર અને માળા ધારણ કર્યા છે. ચાર ભુજાઓ છે. તેમના હથિયાર શક્તિ, ત્રિશુળ અને ગદા છે. વાહન ઘેટું છે.
મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે.
મંગળ એ લાલ આંખો ધરાવતો, અસ્થિર, ઉદામતવાદી, આક્રમક સ્વભાવ ધરાવતો ગ્રહ છે. તે ઓછી ઊંચાઈ, લાલાશ પડતો વર્ણ અને પાતળી કમર ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. દક્ષિણ દિશા અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો, ઉગ્ર સ્વભાવ ધરાવતો તામસિક ગ્રહ છે. અગ્નિ અને વીજળી વપરાતી હોય તેવાં સ્થાનો જેવા કે કારખાના, રસોઈઘર વગેરે સ્થળોએ નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ અને સ્વાદ કડવો છે. ધાન્ય મસૂર, રત્ન પરવાળું, ધાતુ સુવર્ણ અને વાર મંગળવાર છે. અધિદેવતા સ્કંદ છે. શરીરમાં મજ્જા પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની જેમ દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતો ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, યંત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે.
દૂષિત થયા વગરનો બળવાન મંગળ ધરાવનાર જાતકો આત્મવિશ્વાસ, ધગશ, આક્રમકતા અને વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવે છે. તેઓ ઝડપથી વિચારનારા અને વિચારોને ઝડપથી અમલમાં મૂકનારા હોય છે. નિષ્કપટી અને નિર્ભય હોય છે. તેઓ યંત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવાની આવડત ધરાવનારા હોય છે. ઉત્તમ વાઢકાપ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર સર્જન બને છે. નવી યાંત્રિક શોધખોળો કરનાર હોય છે. એન્જીનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રે સફળતા મેળવે છે. મંગળ પ્રધાન લોકો ઉત્તમ વ્યવસ્થાશક્તિ અને વહીવટી સૂઝ ધરાવે છે. જીંદગીમાં ગમે તેટલાં વિઘ્નો આવવા છતા સફળ થવાની મહાત્વાકાંક્ષા અને આગળ વધવાનો જુસ્સો ધરાવે છે.
કુંડળીમાં દૂષિત થયેલો નિર્બળ અને પીડિત મંગળ જાતકને અવિચારી અને ઉતાવળિયો સ્વભાવ ધરાવનાર બનાવે છે. તેઓ ઝડપથી ગુસ્સે થનારા અને લડાયક પ્રકૃતિ ધરાવનારા હોય છે. હિંસક અને ઘાતકી વૃતિ ધરાવે છે. વ્યસનોનો ભોગ બને છે.
મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. ઉચ્ચ રાશિ મકર અને નીચ રાશિ કર્ક છે. મકર રાશિમા ૨૮ અંશે પૂર્ણ ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમા ૨૮ અંશે પૂર્ણ નીચનો બને છે. મેષ રાશિના શરૂઆતના ૦ થી ૧૨ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને ત્યારબાદ બાકીના ૧૮ અંશ સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર ગ્રહો છે. શુક્ર અને શનિ સમ ગ્રહો છે. બુધ શત્રુ ગ્રહ છે.
મંગળ એટલે કે શુભ. મંગળ એ અંગારક અને ભૌમ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં અંગારક એટલે બળતો કોલસો અને ભૌમ એટલે ભૂમિનો પુત્ર. મંગળ એ પૃથ્વીનો પુત્ર ગણાય છે. પુરાણોમાં મંગળના જન્મ અંગેની જુદી-જુદી કથાઓ વર્ણવેલી છે. એક કથા અનુસાર મંગળને કાર્તિકેય તરીકે ઓળખવામાં આવ્યાં છે. જે શિવના પુત્ર છે. મંગળનુ ગોત્ર ભારદ્વાજ છે અને તેઓ અવન્તિ દેશના સ્વામી છે. તેમણે લાલ રંગના વસ્ત્ર અને માળા ધારણ કર્યા છે. ચાર ભુજાઓ છે. તેમના હથિયાર શક્તિ, ત્રિશુળ અને ગદા છે. વાહન ઘેટું છે.
મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે.
મંગળ એ લાલ આંખો ધરાવતો, અસ્થિર, ઉદામતવાદી, આક્રમક સ્વભાવ ધરાવતો ગ્રહ છે. તે ઓછી ઊંચાઈ, લાલાશ પડતો વર્ણ અને પાતળી કમર ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. દક્ષિણ દિશા અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો, ઉગ્ર સ્વભાવ ધરાવતો તામસિક ગ્રહ છે. અગ્નિ અને વીજળી વપરાતી હોય તેવાં સ્થાનો જેવા કે કારખાના, રસોઈઘર વગેરે સ્થળોએ નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ અને સ્વાદ કડવો છે. ધાન્ય મસૂર, રત્ન પરવાળું, ધાતુ સુવર્ણ અને વાર મંગળવાર છે. અધિદેવતા સ્કંદ છે. શરીરમાં મજ્જા પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની જેમ દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતો ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, યંત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે.
દૂષિત થયા વગરનો બળવાન મંગળ ધરાવનાર જાતકો આત્મવિશ્વાસ, ધગશ, આક્રમકતા અને વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવે છે. તેઓ ઝડપથી વિચારનારા અને વિચારોને ઝડપથી અમલમાં મૂકનારા હોય છે. નિષ્કપટી અને નિર્ભય હોય છે. તેઓ યંત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવાની આવડત ધરાવનારા હોય છે. ઉત્તમ વાઢકાપ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર સર્જન બને છે. નવી યાંત્રિક શોધખોળો કરનાર હોય છે. એન્જીનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રે સફળતા મેળવે છે. મંગળ પ્રધાન લોકો ઉત્તમ વ્યવસ્થાશક્તિ અને વહીવટી સૂઝ ધરાવે છે. જીંદગીમાં ગમે તેટલાં વિઘ્નો આવવા છતા સફળ થવાની મહાત્વાકાંક્ષા અને આગળ વધવાનો જુસ્સો ધરાવે છે.
કુંડળીમાં દૂષિત થયેલો નિર્બળ અને પીડિત મંગળ જાતકને અવિચારી અને ઉતાવળિયો સ્વભાવ ધરાવનાર બનાવે છે. તેઓ ઝડપથી ગુસ્સે થનારા અને લડાયક પ્રકૃતિ ધરાવનારા હોય છે. હિંસક અને ઘાતકી વૃતિ ધરાવે છે. વ્યસનોનો ભોગ બને છે.
મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. ઉચ્ચ રાશિ મકર અને નીચ રાશિ કર્ક છે. મકર રાશિમા ૨૮ અંશે પૂર્ણ ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમા ૨૮ અંશે પૂર્ણ નીચનો બને છે. મેષ રાશિના શરૂઆતના ૦ થી ૧૨ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને ત્યારબાદ બાકીના ૧૮ અંશ સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર ગ્રહો છે. શુક્ર અને શનિ સમ ગ્રહો છે. બુધ શત્રુ ગ્રહ છે.
JANUARY 16, 2010
ચન્દ્ર
ચન્દ્ર એ પૃથ્વીથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એકમાત્ર ગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તે પૃથ્વીથી આશરે ૨,૩૮,૯૦૦ માઈલ દૂર છે.
સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે.
ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે.
બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ ચન્દ્ર પણ હંમેશા માર્ગી રહે છે અને ક્યારેય વક્રી થતો નથી. હિંદુઓ માટે ચન્દ્રની રાશિ અગત્યતા ધરાવે છે. ચન્દ્ર જે રાશિમાં રહેલો હોય તે રાશિનાં અક્ષરો પરથી જ બાળકનું નામ પાડવામાં આવે છે.
ચન્દ્ર એ ગૌર વર્ણ, ગોળ ચહેરો, મોહક આંખો, ટૂંકી ઊંચાઈ અને હ્રષ્ટ પુષ્ટ શરીર ધરાવે છે. સ્ત્રી જાતિનો ગ્રહ છે. વધતી કળાનો ચન્દ્ર શુભગ્રહ અને ઘટતી કળાનો ચન્દ્ર પાપગ્રહ ગણાય છે. વાયવ્ય કોણનો અને વર્ષા ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો ચંચળ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. નદી, તળાવ કે દરિયાકિનારાનાં પ્રદેશોમાં નિવાસ કરે છે. જળતત્વ અને કફપ્રકૃતિ ધરાવે છે. તેનો રંગ શ્વેત અને સ્વાદ ખારો છે. ધાન્ય ચોખા, રત્ન મોતી, ધાતુ ચાંદી અને વાર સોમવાર છે. અધિદેવતા ઉમાદેવી છે અને પ્રત્યાધિદેવતા વરૂણ છે. શરીરમાં લોહી પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
કુંડળીમાં ચન્દ્ર એ જાતકની માતાનો કારક છે. આ સિવાય મન, વિચારશક્તિ, લાગણીઓ, સંવેદનશીલતા, મૃદુતા, કલ્પનાશીલતા અને જ્યોતિષ વિદ્યાનો કારક ગ્રહ છે. ચન્દ્ર એ શીતળ, આર્દ્ર અને સ્ત્રૈણ ગ્રહ છે. ચન્દ્રપ્રધાન જાતકો ડરપોક અને મૃદુ સ્વભાવ ધરાવતાં હોય છે. ચન્દ્ર ગર્ભ અને ગર્ભાધાન પર આધિપત્ય ધરાવે છે. બાલ્યાવસ્થાનો કારક ગ્રહ છે. દુષિત ચન્દ્ર વારંવાર બિમારીઓ અને બાળકનાં શરીરનાં યોગ્ય વિકાસનો અભાવ સૂચવે છે. ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે. આથી ચન્દ્ર ચંચળતા, અસ્થિરતા અને ભ્રમણ સૂચવે છે. ચન્દ્રપ્રધાન જાતકો અનિર્ણાયક, ચંચળ અને ગ્રહણશીલ હોય છે. દરિયાપારની મુસાફરીનો સૂચક ગ્રહ છે. શરીરમાં ચન્દ્ર મસ્તક, છાતી, પેટ, આંતરડા, પુરુષની ડાબી આંખ અને સ્ત્રીની જમણી આંખ પર પ્રભુત્વ ધરાવે છે. કિડનીની મૂશ્કેલીઓ, પાંડુ રોગ, મસ્તક અને ઉદર પીડા, માનસિક રોગો વગેરેનું સૂચન કરે છે. ચન્દ્ર સંપર્કથી પ્રભાવિત થાય છે અને રાશિઓની પણ ઘણી અસર આ ગ્રહ પર થાય છે.
ચન્દ્ર વનસ્પતિ અને ઝાડ-પાનનો સ્વામી છે. વનસ્પતિનાં વિકાસને પ્રભાવિત કરે છે. શુક્લ પક્ષમાં વાવેલ વૃક્ષો અને વનસ્પતિઓ વધુ ઝડપથી ઉગે છે. જમીનની નીચે વિકાસ પામતી વનસ્પતિઓ કૃષ્ણ પક્ષમાં વાવવાથી ઝડપથી વિકાસ પામે છે.
કુંડળીમાં શુભ સ્થાન સ્થિત શુભ ચન્દ્રપ્રધાન જાતકો સામાન્ય રીતે સંવેદનશીલ, લાગણીશીલ, પોતાનાં ઘર અને પરિવારજનોને ચાહનારા હોય છે. તેઓ સારી યાદશક્તિ અને ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતાં હોય છે. ઘણીવાર મધુર અવાજ અને સંગીત પ્રતિભા ધરાવનાર હોય છે. ગ્રહણશીલ અને ઝડપથી પ્રભાવિત થનારા હોય છે. પાણી અને કુદરતનાં સાનિધ્યને પસંદ કરે છે. જે રીતે ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે તે જ રીતે તેમની જીંદગીમાં ચડાવ-ઉતાર આવતાં રહે છે.
અશુભ સ્થાન સ્થિત દુષિત ચન્દ્ર ધરાવતાં જાતકો અનિર્ણાયક, ચંચળ અને અસ્થિર સ્વભાવ ધરાવતાં હોય છે. ઘણીવાર વધુ પડતી ચિંતા કરે છે. અનિશ્ચિત અને નકારાત્મક વલણ ધરાવે છે. મનોબળ નબળું હોય છે અને ઝડપથી હતાશાનો ભોગ બને છે.
ચન્દ્રની સ્વરાશિ કર્ક છે. ઉચ્ચ રાશિ વૃષભ અને નીચ રાશિ વૃશ્ચિક છે. વૃષભ રાશિના ૩ અંશે પૂર્ણ ઉચ્ચનો અને વૃશ્ચિક રાશિના ૩ અંશે પૂર્ણ નીચનો થાય છે. વૃષભ રાશિના પહેલા ૦ થી ૩ અંશ તેની ઉચ્ચ રાશિ છે અને બાકીનાં ૨૭ અંશ મૂળત્રિકોણ રાશિ છે. સૂર્ય અને બુધ મિત્ર ગ્રહો છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો છે. રાહુ શત્રુ ગ્રહ છે.
સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે.
ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે.
બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ ચન્દ્ર પણ હંમેશા માર્ગી રહે છે અને ક્યારેય વક્રી થતો નથી. હિંદુઓ માટે ચન્દ્રની રાશિ અગત્યતા ધરાવે છે. ચન્દ્ર જે રાશિમાં રહેલો હોય તે રાશિનાં અક્ષરો પરથી જ બાળકનું નામ પાડવામાં આવે છે.
ચન્દ્ર એ ગૌર વર્ણ, ગોળ ચહેરો, મોહક આંખો, ટૂંકી ઊંચાઈ અને હ્રષ્ટ પુષ્ટ શરીર ધરાવે છે. સ્ત્રી જાતિનો ગ્રહ છે. વધતી કળાનો ચન્દ્ર શુભગ્રહ અને ઘટતી કળાનો ચન્દ્ર પાપગ્રહ ગણાય છે. વાયવ્ય કોણનો અને વર્ષા ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો ચંચળ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. નદી, તળાવ કે દરિયાકિનારાનાં પ્રદેશોમાં નિવાસ કરે છે. જળતત્વ અને કફપ્રકૃતિ ધરાવે છે. તેનો રંગ શ્વેત અને સ્વાદ ખારો છે. ધાન્ય ચોખા, રત્ન મોતી, ધાતુ ચાંદી અને વાર સોમવાર છે. અધિદેવતા ઉમાદેવી છે અને પ્રત્યાધિદેવતા વરૂણ છે. શરીરમાં લોહી પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
કુંડળીમાં ચન્દ્ર એ જાતકની માતાનો કારક છે. આ સિવાય મન, વિચારશક્તિ, લાગણીઓ, સંવેદનશીલતા, મૃદુતા, કલ્પનાશીલતા અને જ્યોતિષ વિદ્યાનો કારક ગ્રહ છે. ચન્દ્ર એ શીતળ, આર્દ્ર અને સ્ત્રૈણ ગ્રહ છે. ચન્દ્રપ્રધાન જાતકો ડરપોક અને મૃદુ સ્વભાવ ધરાવતાં હોય છે. ચન્દ્ર ગર્ભ અને ગર્ભાધાન પર આધિપત્ય ધરાવે છે. બાલ્યાવસ્થાનો કારક ગ્રહ છે. દુષિત ચન્દ્ર વારંવાર બિમારીઓ અને બાળકનાં શરીરનાં યોગ્ય વિકાસનો અભાવ સૂચવે છે. ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે. આથી ચન્દ્ર ચંચળતા, અસ્થિરતા અને ભ્રમણ સૂચવે છે. ચન્દ્રપ્રધાન જાતકો અનિર્ણાયક, ચંચળ અને ગ્રહણશીલ હોય છે. દરિયાપારની મુસાફરીનો સૂચક ગ્રહ છે. શરીરમાં ચન્દ્ર મસ્તક, છાતી, પેટ, આંતરડા, પુરુષની ડાબી આંખ અને સ્ત્રીની જમણી આંખ પર પ્રભુત્વ ધરાવે છે. કિડનીની મૂશ્કેલીઓ, પાંડુ રોગ, મસ્તક અને ઉદર પીડા, માનસિક રોગો વગેરેનું સૂચન કરે છે. ચન્દ્ર સંપર્કથી પ્રભાવિત થાય છે અને રાશિઓની પણ ઘણી અસર આ ગ્રહ પર થાય છે.
ચન્દ્ર વનસ્પતિ અને ઝાડ-પાનનો સ્વામી છે. વનસ્પતિનાં વિકાસને પ્રભાવિત કરે છે. શુક્લ પક્ષમાં વાવેલ વૃક્ષો અને વનસ્પતિઓ વધુ ઝડપથી ઉગે છે. જમીનની નીચે વિકાસ પામતી વનસ્પતિઓ કૃષ્ણ પક્ષમાં વાવવાથી ઝડપથી વિકાસ પામે છે.
કુંડળીમાં શુભ સ્થાન સ્થિત શુભ ચન્દ્રપ્રધાન જાતકો સામાન્ય રીતે સંવેદનશીલ, લાગણીશીલ, પોતાનાં ઘર અને પરિવારજનોને ચાહનારા હોય છે. તેઓ સારી યાદશક્તિ અને ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતાં હોય છે. ઘણીવાર મધુર અવાજ અને સંગીત પ્રતિભા ધરાવનાર હોય છે. ગ્રહણશીલ અને ઝડપથી પ્રભાવિત થનારા હોય છે. પાણી અને કુદરતનાં સાનિધ્યને પસંદ કરે છે. જે રીતે ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે તે જ રીતે તેમની જીંદગીમાં ચડાવ-ઉતાર આવતાં રહે છે.
અશુભ સ્થાન સ્થિત દુષિત ચન્દ્ર ધરાવતાં જાતકો અનિર્ણાયક, ચંચળ અને અસ્થિર સ્વભાવ ધરાવતાં હોય છે. ઘણીવાર વધુ પડતી ચિંતા કરે છે. અનિશ્ચિત અને નકારાત્મક વલણ ધરાવે છે. મનોબળ નબળું હોય છે અને ઝડપથી હતાશાનો ભોગ બને છે.
ચન્દ્રની સ્વરાશિ કર્ક છે. ઉચ્ચ રાશિ વૃષભ અને નીચ રાશિ વૃશ્ચિક છે. વૃષભ રાશિના ૩ અંશે પૂર્ણ ઉચ્ચનો અને વૃશ્ચિક રાશિના ૩ અંશે પૂર્ણ નીચનો થાય છે. વૃષભ રાશિના પહેલા ૦ થી ૩ અંશ તેની ઉચ્ચ રાશિ છે અને બાકીનાં ૨૭ અંશ મૂળત્રિકોણ રાશિ છે. સૂર્ય અને બુધ મિત્ર ગ્રહો છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો છે. રાહુ શત્રુ ગ્રહ છે.
JANUARY 13, 2010
સૂર્ય
સૂર્ય એ ગ્રહોમાં રાજા છે. તે પથ્વીથી આશરે ૯ કરોડ ૨૯ લાખ માઈલ દૂર છે. વિશાળ ગ્રહ છે. પથ્વી કરતાં લગભગ ૧૧૦ ગણો મોટો છે.
સૂર્ય એ કશ્યપ અને અદિતીનો પુત્ર છે. અદિતીનો પુત્ર છે તેથી આદિત્ય કહેવાયો. પુરાણો અનુસાર સૂર્ય સાત અશ્વ લગાવેલાં રથ પર સવાર થઈને સ્વર્ગમાંથી ઉતરે છે. રથનો સારથિ અરૂણ છે. જે સૂર્યની આગળ ઉભો રહીને પોતાનાં વિશાળ શરીરથી સૂર્યનાં તેજને રોકીને આ જગતની રક્ષા કરે છે. સાત અશ્વો એ મેઘધનુષ્યનાં સાત રંગોનું પ્રતીક છે.
સૂર્ય કલિંગદેશનો સ્વામી છે. તેઓ શ્રી રામના સૂર્યવંશનાં આદિ પુરુષ છે. કુંતીએ સૂર્યની ઉપાસનાથી જ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એક્વાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યા. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં છાયા શનિ નામક પુત્રની માતા બની. સૂર્ય એ જીવન દાતા અને પ્રાણ પ્રદાન કરનાર હોવાથી તેમને પ્રત્યક્ષ દેવતા માની 'સૂર્યદેવ' તરીકે પૂજા કરવામાં આવે છે.
સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. ૧૨ રાશિનાં બનેલાં રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં સૂર્યને એક વર્ષ લાગે છે. સૂર્ય ક્યારેય વક્રી થતો નથી અને હંમેશા માર્ગી રહે છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે ત્યારે સૂર્યનાં તેજથી પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે.
સૂર્ય મધના રંગ જેવી પીળાશ પડતી આંખો, પહોળું અને ગોળ મુખ, વિશાળ લલાટ, મધ્યમ ઊંચાઈ અને અલ્પકેશ ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. ૫૦ વર્ષની વયનો પ્રૌઢ છે. પૂર્વ દિશાનો અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો સ્થિર સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. મંદિરમાં નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ, સ્વાદ તીખો, ધાન્ય ઘઉં, રત્ન માણેક અને વાર રવિવાર છે. ધાતુ તામ્ર અને સુવર્ણ છે. અધિદેવતા અગ્નિદેવ છે. શરીરમાં હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
સૌર મંડળનું કેન્દ્ર સૂર્ય છે. આપણાં શરીરનું કેન્દ્ર આત્મા છે. આથી સૂર્ય એ આત્માનો કારક છે. કુંડળીમાં સૂર્ય જાતકના પિતાનો કારક છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓ અથવા સરકારી અમલદારો અને સરકારનો કારક છે. સૂર્ય આપણો શ્વાસ છે, જીવનનો આધાર છે. ચૈતન્યનો મહાસાગર છે. આપણને મજબૂત અને નિર્ણાયક બનવા જરૂરી બળ અને આત્મશક્તિ પ્રદાન કરનાર છે. સૂર્યની પ્રકૃતિ ગરમ અને સૂકી છે. આથી તેનામાં લાગણીનો અભાવ છે. આત્મા, પિતા, આરોગ્ય, શક્તિ, સત્તા, ઉચ્ચ પદ, સરકાર, સરકારી કામકાજો, નવા સાહસો, પ્રચાર, લોકપ્રિયતા અને વૈદક વિદ્યાનો કારક છે. શરીરમાં પડખાં, બરડા, હ્રદય, પુરુષની જમણી આંખ અને સ્ત્રીની ડાબી આંખ પર પ્રભુત્વ ધરાવે છે.
કુંડળીમાં દુષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને મહાત્વાકાંક્ષી, ગર્વિષ્ઠ, ઉદાર, નિખાલસ, માનવતાવાદી, પોતાનાં નિર્ણયોમાં અડગ રહેનાર અને લોકોમાં સન્માનીય બનાવે છે. સૂર્યપ્રધાન જાતકો હંમેશા સત્તા કે ઉચ્ચ પદની મહેચ્છા ધરાવનારા હોય છે. તેઓ સામાન્ય રીતે વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિત્વ ધરાવતાં હોય છે અને લોકો તેમને માનની નજરે જુએ છે.
કુંડળીમાં દુષિત થયેલો અશુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને બળ પ્રયોગ કરનાર, વર્ચસ્વ જમાવનાર, ઘમંડી, અહંકારી, નબળું આરોગ્ય, હ્રદય અને નેત્રવિકાર ધરાવનાર બનાવે છે. સત્તા, પદ કે પ્રતિષ્ઠાને હાનિ કરાવનાર બની રહે છે.
સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ, સિંહ અને ધન રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તે સિંહ રાશિનો સ્વામી છે. ઉચ્ચ રાશિ મેષ છે અને નીચ રાશિ તુલા છે. મેષના ૧૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો બને છે અને તુલાના ૧૦ અંશ પર પૂર્ણ નીચનો બને છે. સિંહ રાશિનાં શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે. બાકીનાં ૧૦ અંશ સ્વરાશિ છે. ચન્દ્ર, મંગળ અને ગુરુ એ સૂર્યના મિત્રો છે. શુક્ર, શનિ અને રાહુ શત્રુ ગ્રહો છે. બુધ સમ ગ્રહ છે.
સૂર્ય એ કશ્યપ અને અદિતીનો પુત્ર છે. અદિતીનો પુત્ર છે તેથી આદિત્ય કહેવાયો. પુરાણો અનુસાર સૂર્ય સાત અશ્વ લગાવેલાં રથ પર સવાર થઈને સ્વર્ગમાંથી ઉતરે છે. રથનો સારથિ અરૂણ છે. જે સૂર્યની આગળ ઉભો રહીને પોતાનાં વિશાળ શરીરથી સૂર્યનાં તેજને રોકીને આ જગતની રક્ષા કરે છે. સાત અશ્વો એ મેઘધનુષ્યનાં સાત રંગોનું પ્રતીક છે.
સૂર્ય કલિંગદેશનો સ્વામી છે. તેઓ શ્રી રામના સૂર્યવંશનાં આદિ પુરુષ છે. કુંતીએ સૂર્યની ઉપાસનાથી જ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એક્વાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યા. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં છાયા શનિ નામક પુત્રની માતા બની. સૂર્ય એ જીવન દાતા અને પ્રાણ પ્રદાન કરનાર હોવાથી તેમને પ્રત્યક્ષ દેવતા માની 'સૂર્યદેવ' તરીકે પૂજા કરવામાં આવે છે.
સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. ૧૨ રાશિનાં બનેલાં રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં સૂર્યને એક વર્ષ લાગે છે. સૂર્ય ક્યારેય વક્રી થતો નથી અને હંમેશા માર્ગી રહે છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે ત્યારે સૂર્યનાં તેજથી પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે.
સૂર્ય મધના રંગ જેવી પીળાશ પડતી આંખો, પહોળું અને ગોળ મુખ, વિશાળ લલાટ, મધ્યમ ઊંચાઈ અને અલ્પકેશ ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. ૫૦ વર્ષની વયનો પ્રૌઢ છે. પૂર્વ દિશાનો અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો સ્થિર સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. મંદિરમાં નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ, સ્વાદ તીખો, ધાન્ય ઘઉં, રત્ન માણેક અને વાર રવિવાર છે. ધાતુ તામ્ર અને સુવર્ણ છે. અધિદેવતા અગ્નિદેવ છે. શરીરમાં હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.
સૌર મંડળનું કેન્દ્ર સૂર્ય છે. આપણાં શરીરનું કેન્દ્ર આત્મા છે. આથી સૂર્ય એ આત્માનો કારક છે. કુંડળીમાં સૂર્ય જાતકના પિતાનો કારક છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓ અથવા સરકારી અમલદારો અને સરકારનો કારક છે. સૂર્ય આપણો શ્વાસ છે, જીવનનો આધાર છે. ચૈતન્યનો મહાસાગર છે. આપણને મજબૂત અને નિર્ણાયક બનવા જરૂરી બળ અને આત્મશક્તિ પ્રદાન કરનાર છે. સૂર્યની પ્રકૃતિ ગરમ અને સૂકી છે. આથી તેનામાં લાગણીનો અભાવ છે. આત્મા, પિતા, આરોગ્ય, શક્તિ, સત્તા, ઉચ્ચ પદ, સરકાર, સરકારી કામકાજો, નવા સાહસો, પ્રચાર, લોકપ્રિયતા અને વૈદક વિદ્યાનો કારક છે. શરીરમાં પડખાં, બરડા, હ્રદય, પુરુષની જમણી આંખ અને સ્ત્રીની ડાબી આંખ પર પ્રભુત્વ ધરાવે છે.
કુંડળીમાં દુષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને મહાત્વાકાંક્ષી, ગર્વિષ્ઠ, ઉદાર, નિખાલસ, માનવતાવાદી, પોતાનાં નિર્ણયોમાં અડગ રહેનાર અને લોકોમાં સન્માનીય બનાવે છે. સૂર્યપ્રધાન જાતકો હંમેશા સત્તા કે ઉચ્ચ પદની મહેચ્છા ધરાવનારા હોય છે. તેઓ સામાન્ય રીતે વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિત્વ ધરાવતાં હોય છે અને લોકો તેમને માનની નજરે જુએ છે.
કુંડળીમાં દુષિત થયેલો અશુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને બળ પ્રયોગ કરનાર, વર્ચસ્વ જમાવનાર, ઘમંડી, અહંકારી, નબળું આરોગ્ય, હ્રદય અને નેત્રવિકાર ધરાવનાર બનાવે છે. સત્તા, પદ કે પ્રતિષ્ઠાને હાનિ કરાવનાર બની રહે છે.
સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ, સિંહ અને ધન રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તે સિંહ રાશિનો સ્વામી છે. ઉચ્ચ રાશિ મેષ છે અને નીચ રાશિ તુલા છે. મેષના ૧૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો બને છે અને તુલાના ૧૦ અંશ પર પૂર્ણ નીચનો બને છે. સિંહ રાશિનાં શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે. બાકીનાં ૧૦ અંશ સ્વરાશિ છે. ચન્દ્ર, મંગળ અને ગુરુ એ સૂર્યના મિત્રો છે. શુક્ર, શનિ અને રાહુ શત્રુ ગ્રહો છે. બુધ સમ ગ્રહ છે.
JANUARY 10, 2010
ગ્રહો
આકાશમાં સ્થિર રહેલાં નક્ષત્ર વૃંદોમાંથી પસાર થતાં કેટલાંક આકાશી પદાર્થો જણાયા. આ આકાશી પદાર્થો એટલે કે ગ્રહો. નક્ષત્રો લગભગ સ્થિર રહે છે. જયારે ગ્રહો એક નક્ષત્ર કે રાશિમાંથી બીજાં નક્ષત્ર કે રાશિમાં ગતિ કરતાં રહે છે. ગ્રહ શબ્દની વ્યુત્પતિ ગ્રહણમાંથી થઈ છે. સંસ્કૃતમાં ગ્રહ એટલે કે પકડવું/ઝાલવું. જે નક્ષત્રોને ગ્રહણ કરી લે, પકડી લે તે ગ્રહ.
સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ કુલ સાત ગ્રહો છે. આ સિવાય રાહુ અને કેતુને પણ ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ અને કેતુ એ કોઈ દ્રષ્ટ ગ્રહો નથી અને આકાશમાં બીજાં ગ્રહોની માફક જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ ગાણિતીક બિંદુઓ છે. પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચન્દ્રની ભ્રમણકક્ષા એકબીજાંને જ્યાં છેદે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ તે રાહુ અને દક્ષિણનું છેદનબિંદુ એ કેતુ.
ચન્દ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બાકીનાં મંગળથી શનિ સુધીનાં પાંચ ગ્રહો પૃથ્વીની સાથે ઘડિયાળનાં કાંટાથી અવળી દિશામાં સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરે છે. ભારતીય જ્યોતિષમાં હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યુ નથી. આ ત્રણ ગ્રહો અતિ દૂર હોવાથી આપણાં પર તેમની અસર નહિવત છે. સામાન્ય રીતે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો વ્યક્તિગત અસર કરવાને બદલે પૂરા સમૂહ, સમાજ કે દેશ-દુનિયા અને સામૂહિક ઘટનાઓ પર વધુ અસર કરે છે. કુંડળીમાં ચોક્કસ સંવેદનશીલ બિદુંઓ પર રહેલાં હોય ત્યારે જ વ્યક્તિગત અસર કરનારાં બની રહે છે.
ગ્રહો હંમેશા કોઈ ને કોઈ રાશિમાં રહેલાં હોય છે. અલગ-અલગ રાશિમાં રહેલાં ગ્રહો અલગ-અલગ ફળ આપે છે. રાશિઓ જાતકનાં જીવનમાં ઉત્પન થતી વિવિધ પરિસ્થિતિઓનું સૂચન કરે છે. ગ્રહો એ જાતકના જીવનમાં ભાગ ભજવતી જીવંત વ્યક્તિઓનું સૂચન કરે છે. ૧૨ રાશિઓનું બનેલું રાશિચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૨ રાશિઓ એ શ્રી વિષ્ણુના શરીરનાં જુદાં-જુદાં અંગો જેવા કે મસ્તક, મુખ, હાથ, પગ વગેરે છે. જ્યારે ગ્રહો એ શ્રી વિષ્ણુનાં નવ અવતારોનું પ્રતિનિધિત્વ કરે છે.
સૂર્ય – રામાવતાર, ચન્દ્ર – કૃષ્ણાવતાર, મંગળ - નૃસિંહાવતાર
બુધ – બુધ્ધાવતાર, ગુરુ – વામનાવતાર, શુક્ર - પરશુરામાવતાર
શનિ – કૂર્માવતાર, રાહુ – વરાહાવતાર, કેતુ – મત્સ્યાવતાર
સૂર્ય અને ચન્દ્ર એક-એક રાશિનું સ્વામીત્વ ધરાવે છે. બાકીનાં મંગળથી લઈને શનિ સુધીનાં પાંચ ગ્રહો બે-બે રાશિઓનું સ્વામીત્વ ધરાવે છે. આ રીતે સાત ગ્રહો વચ્ચે બાર રાશિઓ વહેંચાયેલી છે.
જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.
જીવંત પ્રાણીઓને માફક ગ્રહો પણ દ્રષ્ટિ ધરાવે છે. દરેક ગ્રહ પોતે જે સ્થાનમાં રહેલો હોય ત્યાંથી સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે. આ સિવાય બહિર્વતી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯, શનિ ૩ અને ૧૦ સ્થાન પર પણ દ્રષ્ટિ કરે છે.
જે રીતે આપણે મનુષ્યો અલગ - અલગ પરિસ્થિતિઓમાં સુખનો અને દુઃખનો અનુભવ કરીએ છીએ તે જ રીતે ગ્રહો પણ અલગ - અલગ પરિસ્થિતિઓ/રાશિઓમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ સ્થિત હોય ત્યારે સૌથી વધુ ખુશ હોય છે. પોતાની મૂળત્રિકોણ રાશિમાં ફરજ પ્રત્યે જાગૃત હોય છે. સ્વરાશિમાં રહેલો હોય ત્યારે આરામદાયક સ્થિતિનો અનુભવ કરે છે. નીચ રાશિમાં રહેલો ગ્રહ દયનીય સ્થિતિ ધરાવે છે.
આ દુનિયામાં જે રીતે સારાં અને ખરાબ બંને પ્રકારનાં મનુષ્યો રહેલા છે તે જ રીતે ગ્રહોની દુનિયામાં શુભગ્રહો અને પાપગ્રહો રહેલાં છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ, કેતુ, ક્ષીણ ચન્દ્ર (કૃષ્ણ અષ્ટમીથી શુક્લ પંચમી) નૈસર્ગિક પાપગ્રહો છે. ગુરુ, શુક્ર, ચન્દ્ર (શુક્લ પંચમીથી કૃષ્ણ સપ્તમી) નૈસર્ગિક શુભગ્રહો છે. પાપગ્રહની સાથે રહેલો બુધ પાપગ્રહ અને એકલો અથવા શુભગ્રહની સાથે રહેલો બુધ શુભગ્રહ ગણાય છે.
ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને ચન્દ્ર રાણી છે. જે રીતે સરકાર ચલાવવામાં માટે દરેક મંત્રીઓને અલગ-અલગ કાર્યભાર સોંપી ખાતાંઓની વહેંચણી કરી દેવામાં આવે છે તે જ રીતે ગ્રહોને ખાતાંઓ વહેંચી દેવામાં આવ્યા છે. ગ્રહોના આ ખાતાંઓ તેમનાં કારકત્વ તરીકે ઓળખાય છે. સૂર્ય આત્માનો, ચન્દ્ર મનનો, મંગળ શક્તિ/બળનો, બુધ વાણીનો, ગુરુ ગ્નાનનો, શુક્ર પ્રેમ/લગ્નનો અને શનિ દુઃખ/દારિદ્રનો કારક છે.
સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ કુલ સાત ગ્રહો છે. આ સિવાય રાહુ અને કેતુને પણ ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ અને કેતુ એ કોઈ દ્રષ્ટ ગ્રહો નથી અને આકાશમાં બીજાં ગ્રહોની માફક જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ ગાણિતીક બિંદુઓ છે. પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચન્દ્રની ભ્રમણકક્ષા એકબીજાંને જ્યાં છેદે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ તે રાહુ અને દક્ષિણનું છેદનબિંદુ એ કેતુ.
ચન્દ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બાકીનાં મંગળથી શનિ સુધીનાં પાંચ ગ્રહો પૃથ્વીની સાથે ઘડિયાળનાં કાંટાથી અવળી દિશામાં સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરે છે. ભારતીય જ્યોતિષમાં હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યુ નથી. આ ત્રણ ગ્રહો અતિ દૂર હોવાથી આપણાં પર તેમની અસર નહિવત છે. સામાન્ય રીતે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો વ્યક્તિગત અસર કરવાને બદલે પૂરા સમૂહ, સમાજ કે દેશ-દુનિયા અને સામૂહિક ઘટનાઓ પર વધુ અસર કરે છે. કુંડળીમાં ચોક્કસ સંવેદનશીલ બિદુંઓ પર રહેલાં હોય ત્યારે જ વ્યક્તિગત અસર કરનારાં બની રહે છે.
ગ્રહો હંમેશા કોઈ ને કોઈ રાશિમાં રહેલાં હોય છે. અલગ-અલગ રાશિમાં રહેલાં ગ્રહો અલગ-અલગ ફળ આપે છે. રાશિઓ જાતકનાં જીવનમાં ઉત્પન થતી વિવિધ પરિસ્થિતિઓનું સૂચન કરે છે. ગ્રહો એ જાતકના જીવનમાં ભાગ ભજવતી જીવંત વ્યક્તિઓનું સૂચન કરે છે. ૧૨ રાશિઓનું બનેલું રાશિચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૨ રાશિઓ એ શ્રી વિષ્ણુના શરીરનાં જુદાં-જુદાં અંગો જેવા કે મસ્તક, મુખ, હાથ, પગ વગેરે છે. જ્યારે ગ્રહો એ શ્રી વિષ્ણુનાં નવ અવતારોનું પ્રતિનિધિત્વ કરે છે.
સૂર્ય – રામાવતાર, ચન્દ્ર – કૃષ્ણાવતાર, મંગળ - નૃસિંહાવતાર
બુધ – બુધ્ધાવતાર, ગુરુ – વામનાવતાર, શુક્ર - પરશુરામાવતાર
શનિ – કૂર્માવતાર, રાહુ – વરાહાવતાર, કેતુ – મત્સ્યાવતાર
સૂર્ય અને ચન્દ્ર એક-એક રાશિનું સ્વામીત્વ ધરાવે છે. બાકીનાં મંગળથી લઈને શનિ સુધીનાં પાંચ ગ્રહો બે-બે રાશિઓનું સ્વામીત્વ ધરાવે છે. આ રીતે સાત ગ્રહો વચ્ચે બાર રાશિઓ વહેંચાયેલી છે.
જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.
જીવંત પ્રાણીઓને માફક ગ્રહો પણ દ્રષ્ટિ ધરાવે છે. દરેક ગ્રહ પોતે જે સ્થાનમાં રહેલો હોય ત્યાંથી સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે. આ સિવાય બહિર્વતી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯, શનિ ૩ અને ૧૦ સ્થાન પર પણ દ્રષ્ટિ કરે છે.
જે રીતે આપણે મનુષ્યો અલગ - અલગ પરિસ્થિતિઓમાં સુખનો અને દુઃખનો અનુભવ કરીએ છીએ તે જ રીતે ગ્રહો પણ અલગ - અલગ પરિસ્થિતિઓ/રાશિઓમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ સ્થિત હોય ત્યારે સૌથી વધુ ખુશ હોય છે. પોતાની મૂળત્રિકોણ રાશિમાં ફરજ પ્રત્યે જાગૃત હોય છે. સ્વરાશિમાં રહેલો હોય ત્યારે આરામદાયક સ્થિતિનો અનુભવ કરે છે. નીચ રાશિમાં રહેલો ગ્રહ દયનીય સ્થિતિ ધરાવે છે.
આ દુનિયામાં જે રીતે સારાં અને ખરાબ બંને પ્રકારનાં મનુષ્યો રહેલા છે તે જ રીતે ગ્રહોની દુનિયામાં શુભગ્રહો અને પાપગ્રહો રહેલાં છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ, કેતુ, ક્ષીણ ચન્દ્ર (કૃષ્ણ અષ્ટમીથી શુક્લ પંચમી) નૈસર્ગિક પાપગ્રહો છે. ગુરુ, શુક્ર, ચન્દ્ર (શુક્લ પંચમીથી કૃષ્ણ સપ્તમી) નૈસર્ગિક શુભગ્રહો છે. પાપગ્રહની સાથે રહેલો બુધ પાપગ્રહ અને એકલો અથવા શુભગ્રહની સાથે રહેલો બુધ શુભગ્રહ ગણાય છે.
ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને ચન્દ્ર રાણી છે. જે રીતે સરકાર ચલાવવામાં માટે દરેક મંત્રીઓને અલગ-અલગ કાર્યભાર સોંપી ખાતાંઓની વહેંચણી કરી દેવામાં આવે છે તે જ રીતે ગ્રહોને ખાતાંઓ વહેંચી દેવામાં આવ્યા છે. ગ્રહોના આ ખાતાંઓ તેમનાં કારકત્વ તરીકે ઓળખાય છે. સૂર્ય આત્માનો, ચન્દ્ર મનનો, મંગળ શક્તિ/બળનો, બુધ વાણીનો, ગુરુ ગ્નાનનો, શુક્ર પ્રેમ/લગ્નનો અને શનિ દુઃખ/દારિદ્રનો કારક છે.
No comments:
Post a Comment